
સત્તા માટે સમાધાનો કરવાનું ભાજપે સ્વીકારી લીધું છે. સમાધાનો કર્યા એટલે જ સત્તા મળી છે અને સત્તા ગુમાવી પણ છે. રામમંદિરના નામે હિન્દુઓને મૂર્ખ બનાવીને પછી એ મુદ્દો છોડી દીધો. ઉત્તર પ્રદેશમાં તેના કારણે પક્ષનું ધોવાણ થઈ ગયું છે. 1998માં યુપીએમાં 57 બેઠકો ભાજપને મળી. પણ ભાજપે સમાધાન કર્યું - રામમંદિર, સમાન નાગરિક ધારો અને કલમ 370નો મુદ્દો કોરાણે મૂક્યા. તેના કારણે એનડીએ વિશાળ બન્યું, પણ યુપીમાં હિન્દુત્વની લહેર શમી ગઈ. 1999માં ફરી ચૂંટણી થઈ ત્યારે ફક્ત 29 બેઠકો જ રહી. પરંતુ એનડીએને બહુમતી મળી ગઈ હતી એટલે કેન્દ્રમાં સરકાર બની શકી હતી.
No comments:
Post a Comment