
રંગભેદની નીતિ વિરૂદ્ધ લડનાર દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન એવોર્ડ મેળવનાર નેલ્સન મંડેલાના નિધન બાદ દુનિયા ભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જેમાં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત રાજકારણી, ફિલ્મ તેમજ સામાજિક જગતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓએ મંડેલાના શ્રધ્ધાંજલિ પાઠવી હતી. દક્ષિણ આફ્રિકામાં તેમની અંતિમ વિદાય સુધી દેશમાં ધ્વજ ઝુકેલો રહેશે.
No comments:
Post a Comment