
કેન્દ્ર સરકાર દ્વારા કોમી રમખાણોના કિસ્સામાં જે તે રાજ્યના મંત્રીઓ, સનદી અધિકારીઓ અને મુખ્યમંત્રી સામે પણ ફોજદારી કાર્યવાહી થઇ શકે તેવો એક કાયદો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને સંસદના વર્તમાન સત્રમાં તેને રજૂ કરવામાં આવે તે પહેલા ભાજપ અને વીએચપી દ્વારા આ કાયદાને હિન્દુ વિરોધી કાયદો ગણાવી તેનો વિરોધ થયો છે. ભાજપ માને છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવી આ કાયદો લાવવામાં આવી રહ્યો છે અને કોઇપણ મોદીને જેલમાં નાખવા યુપીએ સરકાર ઉતાવળી થઇ છે ત્યારે ભાજપ તેનો વિરોધ કરશે.
No comments:
Post a Comment