
સુરત જહાગીરપુરા પોલીસ મથકમા નોંધાયેલી ફરિયાદ બાદ સુરત પોલીસે દીલ્હી પોલીસની મદદથી બળાત્કારી એવા નારાયણસાઇને ઝડપી પાડયો હતો. જો કે નારાયણ તથા તેના સાધકોએ પૈસાના જોરે પોતાનો કેસમા તપાસમા ભીનું સંકેલવા તથા પોલીસે જપ્ત કરેલા દસ્તાવેજો તેમને પરત મળે તે માટે તેઓએ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કુંભાણીને કરોડો રૂપીયાની ઓફર કરી હતી. જયા પહેલેથી જ વોચમા રેહલી પોલીસે ગાંધીબાગ પાસે વોચ ગોઠવીને એક કારને ઝડપી પાડી હતી. કારમાં સવાર 6 શખ્શોને ઝડપી પાડી રૂ. 1 કરોડ પોલીસે જપ્ત કર્યા હતા. આ ઉપરાત અન્ય જગ્યાએથી બીજા ચાર કરોડ મળી કુલ્લે 5 કરોડની મસમોટી રકમ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. સાથોસાથ પીએસઆઇ કુંભાણી, નારાયણ સાઇ સહિત ચાર વિરુધ્ધ એન્ટી કરપ્શનનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.
No comments:
Post a Comment