
વડોદરાથી ડભોઇ જઈ રહેલી ગુજરાત એસ ટીની બસમાં આજે સવારે આગ લાગી જવાની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી. બસ વડોદરા ડેપોથી નીકળી અને કમાટીબાગ પાસે પહોંચતા તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે આ દુર્ધટનામાં કોઈને જાનહાની થઇ નહોતી. બસમાં કુલ 40 યાત્રીઓ હતા. પણ આગ લાગવાની સાથેજ યાત્રીઓ બારીમાં કુદી બહાર નીકળ્યા હતા. જોકે બસમાં આગનો સંદેશ મળતાજ ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું.
No comments:
Post a Comment