
નવી દિલ્હી :
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુનિટે રવિવારે ચૂંટણી પંચને ફરિયાદ દાખલ કરતા આરોપ લગાવ્યો છે કે આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બે જગ્યાથી અને ઉત્તર પ્રદેશમાં એક જગ્યાથી મતદારના રૂપમાં દાખલ છે. 22 નવેમ્બરની તારીખના પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની પાસે ઉત્તર પ્રદેશના સાહિબાબાદ વિધાનસભા વિસ્તાર અને રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી અને સીમાપુરી વિધાનસભા વિસ્તારથી મતદાર ઓળખપત્ર જાહેર છે. સાહિબાબાદ અને સીમાપુરીથી જાહેર કાર્ડમાં એક જ ઓળખ સંખ્યા છે.
No comments:
Post a Comment