
સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમા બે બહેનોએ આસારામ અને નારાયણ સાઇ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ પિતા-પુત્રની અડચણો વધી ગઇ છે. બીજી તરફ યૌન શૌષણ કેસમા છેલ્લા અઢી માસથી સજા ભોગવી રહેલા આસારામ વિરુધ્ધ કાયદાનો ગાળિયો વધુ કસાતો જતો હોય તેવું લાગી રહ્યુ છે, પુત્ર નારાણ છેલ્લા છ સપ્તાહથી પોલીસને હાથતાળી આપીને ભાગી રહ્યો છે. જેની સામે પોલીસની લાચારી સામે આવી રહી છે. સુરત પોલીસ દ્રારા નારાયણના ખાસ ગણાતા સાધક અને સાધિકાની ધરપકડ આ ઉપરાંત તેમની પત્ની જાનકી આપેલા ચોંકાવનારા ખુલાસા બાદ સુરત પોલીસ વધુ સજજ થઇ ગઇ હતી.
No comments:
Post a Comment