
ગાંધીનગર : અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાંથી મહાભારતનો આરંભ કર્યો છે. તેમણે લોકસભા 2014 માટેનું રણશિંગું ફૂંકી દીધું છે. તેમણે પોતાની પાર્ટીનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો કે લોકસભામાં તે પૂરા જોશથી જંપલાવશે અને દિલ્હીમાં મળી તે રીતે નવી દિલ્હીમાં સત્તા મળે કે ના મળે અનેક નેતાઓના ખેલ બગાડશે. તેમણે કહ્યું કે દેશની સંસદમાં સફાઈ કરવાની છે. લોકસભામાં ભ્રષ્ટાચારી, ગુનેગાર અને સગાવાદીઓ ઘૂસી જાય છે તેમને અટકાવવા પડશે. તેમણે આ ત્રણેય પ્રકારના લોકોને એક જ કેટેગરીમાં મૂક્યા છે. ત્રણ કેટેગેરીના લોકો સંસદમાં ઘૂસી જાય છે અને આમ આદમી માટે કોઈ તક રહેતી નથી. આ ત્રણ કેટેગરીના લોકો સ્થાપિત હિતો બની જાય છે. તેમના હિતો જળવાઈ રહે તે રીતે સિસ્ટમ ચાલતી રહે છે. ગમે તેમ કરો પણ આ સિસ્ટમ બદલતી નથી. તેથી આખી સિસ્ટમને બદલવા માટે આવા ભ્રષ્ટ નેતાઓને સંસદમાં જતા રોકો. તેમને હરાવો.. કેજરીવાલે રણટંકાર કરી દીધો છે અને તેની ધ્રૂજારી અનુભવાઈ રહી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-launches-lok-sabha-campaign-targets-corrupt-leaders/




























