Friday, 31 January 2014

Arvind kejriwal launches lok sabha campaign targets corrupt leaders

arvind kejriwal launches lok sabha campaign targets corrupt leaders

ગાંધીનગર : અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાંથી મહાભારતનો આરંભ કર્યો છે. તેમણે લોકસભા 2014 માટેનું રણશિંગું ફૂંકી દીધું છે. તેમણે પોતાની પાર્ટીનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો કે લોકસભામાં તે પૂરા જોશથી જંપલાવશે અને દિલ્હીમાં મળી તે રીતે નવી દિલ્હીમાં સત્તા મળે કે ના મળે અનેક નેતાઓના ખેલ બગાડશે. તેમણે કહ્યું કે દેશની સંસદમાં સફાઈ કરવાની છે. લોકસભામાં ભ્રષ્ટાચારી, ગુનેગાર અને સગાવાદીઓ ઘૂસી જાય છે તેમને અટકાવવા પડશે. તેમણે આ ત્રણેય પ્રકારના લોકોને એક જ કેટેગરીમાં મૂક્યા છે. ત્રણ કેટેગેરીના લોકો સંસદમાં ઘૂસી જાય છે અને આમ આદમી માટે કોઈ તક રહેતી નથી. આ ત્રણ કેટેગરીના લોકો સ્થાપિત હિતો બની જાય છે. તેમના હિતો જળવાઈ રહે તે રીતે સિસ્ટમ ચાલતી રહે છે. ગમે તેમ કરો પણ આ સિસ્ટમ બદલતી નથી. તેથી આખી સિસ્ટમને બદલવા માટે આવા ભ્રષ્ટ નેતાઓને સંસદમાં જતા રોકો. તેમને હરાવો.. કેજરીવાલે રણટંકાર કરી દીધો છે અને તેની ધ્રૂજારી અનુભવાઈ રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-launches-lok-sabha-campaign-targets-corrupt-leaders/

કેજરીવાલે ભ્રષ્ટ નેતાઓનાં નામ ગણાવ્યા

kejriwal issues list of corrupt ministers says we want to eradicate corruption from parliament
 નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અરવિંદ કેજરીવાલે વિરોધીઓ પર નિશાન તાક્યુ. કેજરીવાલે કહ્યુ કે સંસદની સફાઇ જરૂરી છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને આહવાન કર્યુ કે 2014ની ચૂંટણી સામાન્ય ચૂંટણી નહી હોય, પણ એક આંદોલન હશે. અને આ વખતે એક પણ ભ્રષ્ટાચારીને સંસદમાં નહી જવા દઇએ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/kejriwal-issues-list-of-corrupt-ministers-says-we-want-to-eradicate-corruption-from-parliament/

Thursday, 30 January 2014

મુંબઈના પોલીસ કમિશ્નરનું રાજીનામું, લોકસભા ચૂંટણીની તૈયારી

mumbai police commisioner resinged

મુંબઈ :
મુંબઈના પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહએ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પોલીસ કમિશ્નરના રાજીનામાંની પુષ્ટિ કરી છે. જોકે હજુ સુધી આ રાજીનામાંનો સ્વીકાર સરકાર તરફથી થયો નથી. પરંતુ સરકારે તેમનું રાજીનામું સ્વીકાર કરવાનું મન બનાવી લીધું છે..

Read Full News: http://www.globalgujaratnews.com/article/mumbai-police-commisioner-resinged/

સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યા 9 થી વધીને 12 થઇ

the number of subsidized cylinders is now 12

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આજે સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની સંખ્યા 9 થી વધારીને 12 કરી છે. મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. નિર્ણય મુજબ 2013-14માં સબસિડીયુક્ત 9 સિલિન્ડર સિવાય ફેબ્રુઆરી અને માર્ચમાં 1 – 1 સિલિન્ડર સબિસિડી પર આપવામાં આવશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/the-number-of-subsidized-cylinders-is-now-12/

ઓનલાઈન તીનપત્તી બન્યું આધુનિક જુગારધામ

online teen patti given space to play gambling 
જામનગર : મહાકાવ્ય મહાભારતના એક પ્રસંગમાં જુગારનો ઉલ્લેખ છે. જ્યારે પાંડવો જુગારમાં કૌરવા સામે હારી જાય છે. જેમાં દાવ પર પાંડવોએ દ્રૌપદીને મૂકી હતી. જુગારનું દૂષણ દરેક કાળ રહ્યું છે. પરંતુ જમાના સાથે તેનું સ્વરૂપ બદલાતું જાય છે. વર્તમાન આધુનિક સમયમાં જુગાર ઓનલાઈન થઈ ગયો છે. તાજેતરમાં ઓનલાઈન જુગારના રવાડે અનેક લોકો ચઢી ગયા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/online-teen-patti-given-space-to-play-gambling/

Wednesday, 29 January 2014

Protest against rahul gandhi

protest against rahul gandhi

નવી દિલ્હી :
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસ અગાઉ ન્યૂઝ ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન 1984ના રમખાણો સંદર્ભે પૂછાયેલા સવાલમાં તેમણે અમુક કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાનું જણાવ્યું હતું .ત્યાર બાદથી 1984ના રમખાણો લઈને ફરીથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

Read Full News:http://www.globalgujaratnews.com/article/protest-against-rahul-gandhi/

લંડનમાં ભારતીય મહિલા બેન્કરની ધરપકડ

indian origin woman banker arrested in uk anti terror raid

લંડન :
રવિવારે લંડન ખાતે મેટ્રોપોલિટન પોલીસના કાઉન્ટર કમાન્ડર દ્રારા ભારતીય મૂળની મહિલા બેન્કર કુંતલ પટેલની ધરપકડ કરી છે. પૂર્વ લંડનમાં રહેતી કુંતલ પટેલના ઘરે છાપેમારી થવા પામી હતી. જે દરમ્યાન ધરપકડ થવા પામી હતી. બાર્કલેજ બેંકમાં કામ કરનારી આ મહિલા થેમ્સ મેજીસ્ટ્રેટ બેન્ચમાં સામેલ મેજીસ્ટ્રેટ મીના પટેલની બેટી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/indian-origin-woman-banker-arrested-in-uk-anti-terror-raid/

Manmohan singh faces protest at waqf event

manmohan singh faces protest at waqf event

નવી દિલ્હી :
29મી જાન્યુઆરી, બુધવારે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે  નેશનલ વક્ફ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે તે દરમ્યાન જે એક વ્યક્તિએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે હોબાળો મચાવી દીધો હતો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/manmohan-singh-faces-protest-at-waqf-event/

Tuesday, 28 January 2014

Malala yousufzais book launch stopped at pakistan varsity

malala yousufzais book launch stopped at pakistan varsity

ઈસ્લામાબાદ :
ટીનએજ એક્ટિવિસ્ટ મલાલા યુઝુફઝાઈની પાકિસ્તાનની યુનિવર્સિટી ઓફ પેશાવરમાં આઈ એમ મલાલા બુક લોન્ચ થવાની હતી. પરંતુ  સરકારે પૂરતી સલામતીની ખાતરી નહીં આપતા આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

શંકરસિંહની રાજ્યપાલને રજૂઆત, વિધાનસભા સત્ર લંબાવાની માગ

gujarat congress demand for extention assembly session

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું નવા વર્ષનું પ્રથમ સત્ર 20મી ફેબ્રુઆરીનો રોજ પ્રારંભ થઈ રહ્યો છે. જે અઠવાડિયાનું સરકારે જાહેર કર્યું છે. પરંતુ આ સત્રને લંબાવીને પુરા સમયનું કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી નેતા શંકરસિહં વાઘેલાની આગેવાની હેઠળ ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી છે. પશ્નોતરીને પુરતો ન્યાય મળે તે અર્થે સત્ર લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે

Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-congress-demand-for-extention-assembly-session/

મોદી પર રાહુલનો કટાક્ષ, ભાજપનો વળતો પ્રહાર

rahul gandhi ill informed about 1984 riots bjp 
 
નવી દિલ્હી : 27મી જાન્યુઆરી, સોમવારના રોજ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને વર્ષ 2002ના રમખાણ સંદર્ભે આકરી નિવેદન આપ્યું હતું. જેને લઈને લાલપીળી થયેલી ભાજપે આજે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે મોદી સામે ચર્ચામાં ઉતરવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ બચી રહ્યાં છે. અને તમને ખબર છેકે લોકસભાની ચૂંટણીમાં તેમની હાર નિશ્ચિત છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-ill-informed-about-1984-riots-bjp/

Monday, 27 January 2014

ભાજપે રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કર્યા

rajya sabha candidates of bjp from gujarat

અમદાવાદ : ભાજપે રાજ્યસભા માટે પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. શંભૂપ્રસાદ ટૂંડિયા, લાલસિંહ વડોદિયા, ચુનીભાઇ ગોહિલનાં નામ ભાજપે રાજ્યસભા માટે જાહેર કર્યા છે. અને આ સાથે જ ઉમેદવારોનાં નામનાં લઇને થઇ રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે.

Read Full News:http://www.globalgujaratnews.com/article/rajya-sabha-candidates-of-bjp-from-gujarat/

Thursday, 23 January 2014

કેજરીવાલની આઈટમ ગર્લ રાખી સાવંત સાથે સરખામણી

uddhav thackeray written against arvind kejariwal

મુંબઈ :
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્રારા આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. ઉદ્ધવે કેજરીવાલ પર કટાક્ષ કરતા જણાવ્યું કે આઈટમ ગર્લ રાખી સાવંત કેજરીવાલથી વધુ સારી છે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમાચાર પત્ર સામનામાં ઘણાં તીખા કોમેન્ટ કર્યા છે. પૂરો સંપાદકીય લેખ કેજરીવાલને સંદર્ભીને લખવામાં આવ્યો છે. જેમાં દરેક વાક્યમાં કેજરીવાલ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
Read Fill News: http://www.globalgujaratnews.com/article/uddhav-thackeray-written-against-arvind-kejariwal/

Wednesday, 22 January 2014

હાઈટેક રેલી : વિદેશી ભારતીયો સુધી પહોંચશે અવાજ

vijay sankalp rally gorakhpur bjp narendra modi
 
ગોરખપુર : 23મી જાન્યુઆરી, ગુરૂવારના રોજ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક રેલીને સંબોધિત કરવાના છે. ભાજપે આ રેલીને વિજય શંખનાદ રેલી નામ આપ્યું છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/vijay-sankalp-rally-gorakhpur-bjp-narendra-modi/

Tuesday, 21 January 2014

અધૂરાં કેજરીવાલ : લોહિયાળ સંઘર્ષ બાદ પણ આંશિક જીત

protest to continue till demands are met says arvind kejriwal

નવી દિલ્હી : આમ આદમીના સમર્થકો અને દિલ્હી પોલીસની વચ્ચે સંઘર્ષ હવે શમી ગયો છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં આરોપથી ઘેરાયેલા પોલીસવાળાની સામે કેસની તપાસ પૂરી થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધા છે. આની સાથે જ અરવિંદ કેજરીવાલે ઘરણાં પૂરા કરવાનો એલાન કરી દીધો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/protest-to-continue-till-demands-are-met-says-arvind-kejriwal/

કાયદા મંત્રીના તીખા શબ્દો, કેજરીવાલે સેવ્યું મૌન

political statment created controversy

નવી દિલ્હી :
આમ આદમી પાર્ટી નેતા  અને દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતીએ ભારતીય જનતા પાર્ટી સામે કરેલી તિખી ટિપ્પણીને પગલે ભાજપ ગુસ્સે ભરાયું છે.

રવિવારે મંત્રી સોમનાથ ભારતીએ પોતાના વિસ્તારમાં યોજાયેલ જનતા દરબારમા અરૂણ જેટલી, સુપ્રિમ કોર્ટના વકીલ હરિશ સાલ્વે અને આરતી મહેરા પર ટિપ્પણી કરી હતી. જેમાં કહ્યું હતું કે આ લોકો દેશની હિતની વાત કરતા નથી. આ જનતાના નેતા નથી .તેમને જનતાના દર્દની કોઈ ચિંતા નથી. તે સાથે તેમણે કોંગ્રેસ પર તિખી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતું કોંગ્રેસી નેતાઓને દલાલી ખાવાની આદત પડી ગઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેમને ભાજપના નેતાઓ પર થૂંકવાનું મન થાય છે. જે બાબતે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/political-statment-created-controversy/

Monday, 20 January 2014

સીએમ કેજરીવાલ સાથે મંત્રીઓના ધરણાં યથાવત

arvind kejriwal plans to continue anarchy as aap dharna enters 2nd day

નવી દિલ્હી : દિલ્હી પોલીસના વિરૂધ્ધ રેલ ભવનની બાહર કેજરીવાલ કેબિનેટના ધરણાંનો આજે બીજો દિવસ છે. રેલભવનની બાહર આખી રાત આમ આદમી પાર્ટીના સમર્થકોની ભારે ભીડ લાગી રહી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાતે રેલ ભવનની બાહર રસ્તા પર જ ઉંઘી ગઈ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-plans-to-continue-anarchy-as-aap-dharna-enters-2nd-day/

ગુજરાત રમખાણ પર મોદીને માફી માગવાની જરૂર નથી : સલમાન

salman khan has no regrets about performing in saifai mahotsav

મુંબઈ : એક ચેનલના ઈન્ટરવ્યૂહમાં સૈફઈ મહોત્સવને લઈને સવાલ પૂછવા પર સલમાન ખાને કહ્યું કે કોઈને આ જણાવવું જરૂરી નથી કે તેમનું નૈતિક દાયિત્વ શું છે. સૈફઈ મહોત્સવમાં મળેલ પૈસાનું શું કરશો તેમ પૂછતા તેમણે કહ્યું કે મારા પૈસા છે, હું સળગાવું ફાડું કે પછી દાન કરું તેમની મરજી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/salman-khan-has-no-regrets-about-performing-in-saifai-mahotsav/

નર્સરીની નવી ગાઈડલાઈન્સમાં નહીં થાય બદલાવ : હાઈકોર્ટ

nursery admissions as per lg order delhi hc to private schools
 
નવી દિલ્હી : 
 દિલ્હી હાઈકોર્ટે ખાનગી શાળાની અરજી ફગાવી દીધી છે. ખાનગી શાળાએ ઉપ રાજ્યપાલની ગાઈડલાઈન્સની વિરૂધ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી અને આની પર રોક લગાવવાની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટે સોમવારે આદેશ આપ્યો છે કે નર્સરીમાં દાખલ ઉપ રાજ્યપાલની ગાઈડલાઈન્સના મુજબ જ રહેશે. નર્સરી એડમિશનને લઈને હવે દિલ્હીના દરેક માતા-પિતાની ટેન્શન ઓછી થઈ જશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/nursery-admissions-as-per-lg-order-delhi-hc-to-private-schools/

Friday, 17 January 2014

સોનિયા ગાંધીનાં પ્રહાર, ભાજપનો વળતો જવાબ

bjp national executive meet in delhi


નવી દિલ્હી : એઆઇસીસી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભાજપને સાંપ્રદાયિક ગણાવતા ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે શિખ રમખાણોનાં ઉલ્લેખ કરતા કોંગ્રેસને જ સાંપ્રદાયિક ગણાવી છે.

ભાજપનાં પ્રવકત્તા પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીનાં નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યુ કે આ તો વિપરીત બાબત છે. જેમણે શિખોને જીવતા સળગાવ્યા, તે સાંપ્રદાયિક છે. જેમનાં રાજમાં હિંદુ-મુસ્લિમ તોફાનો થઇ રહ્યા છે, તે સાંપ્રદાયિક છે, જેમનાં રાજમાં કાશ્મીરી પંડિત વિસ્થાપિત થયા, તે સાંપ્રદાયિક છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-national-executive-meet-in-delhi/

Thursday, 16 January 2014

કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારની કમાન રાહુલ ગાંધીને સોંપાઇ

rahul gandhi wont be pm nominee will lead congress campaign for 2014

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીની મહત્વની બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણીનાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અને આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસ રાહુલ ગાંધીનાં નામે લડશે. પણ કોંગ્રેસ વડાપ્રધાન પદનાં ઉમેદવારનાં નામની જાહેરાત નહીં કરે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-wont-be-pm-nominee-will-lead-congress-campaign-for-2014

Wednesday, 15 January 2014

કેજરીવાલનો વ્યવહાર તાનાશાહી છે : વિનોદ કુમાર બિન્ની

vinod kumar binny press conference

નવી દિલ્હી :
આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નિશાન સાધ્યું છે. ગુરૂવારે સવારે સાડા દસ વાગ્યે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારની કથની અને કરનીમાં ફર્ક આવી ગયો છે. અને દિલ્હીની જનતા સાથે દગો થઈ રહ્યો છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/vinod-kumar-binny-press-conference/

મોદી પછી ગુજરાતમાં કોણ?

who will be the next cm of gujarat 
 
અમદાવાદ : ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લોકસભાની આગામી ચૂંટણીઓમાં જીતાડી દિલ્હી મોકલવા માટે ભાજપની સાથે સાથે ગુજરાતના મંત્રીઓ પણ કમર કસી રહ્યાં છે. જો કે, તેમાંથી કેટલાક વધારે પ્રમાણમાં જોર લગાવી રહ્યાં હોય તે સ્વભાવિક છે કેમ કે મોદી જો દિલ્હી જાય તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ બેસશે તે પણ ધીમે ધીમે રાજકારણમાં ચર્ચાવા લાગ્યું છે.

આમ તો મોદીના સ્થાને કોઇ પટેલ મુખ્યમંત્રી બને એવી ગણતરીઓ છે ત્યારે આ પદ માટે ત્રણ પટેલ મંત્રીઓ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં નીતિન પટેલ, સૌરભ પટેલ અને આનંદીબેન પટેલનો સમાવેશ થાય છે. અલબત્ત, મોદીનું સ્થાન કોણ લેશે એ તો ખુદ નરેન્દ્ર મોદી જ નક્કી કરશે. તેમણે હજુ મુખ્યમંત્રીપદ છોડ્યું નથી. મનસેના રાજ ઠાકરે દ્વારા મોદીને પીએમ બનવું હોય તો સીએમ પદ છોડવા વણમાંગી સલાહ આપવામાં આવી છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/who-will-be-the-next-cm-of-gujarat/


નરેન્દ્ર મોદીનો વડાપ્રધાનને પત્ર

narendra modi writes to pm demands action against sushil kumar shinde 
 
અમદાવાદ : ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંઘને પત્ર લખ્યો છે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેનાં નિવેદનને લઇને નરેન્દ્ર મોદીએ પીએમને પત્ર લખ્યો છે.

મોદીએ શિંદેનાં એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે એક ખાસ ધર્મનાં યુવકોની ખોટી ધરપકડની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં કહ્યુ કે અપરાધીનો કોઇ ધર્મ નથી હોતો. મોદીએ આ મામલે વડાપ્રધાનને તરત દખલ દેવાની માંગ કરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-writes-to-pm-demands-action-against-sushil-kumar-shinde/

Monday, 13 January 2014

ખુશખબર, પીએફ પર મળશે 8.75 ટકા વ્યાજ

epfo raise 2013 14 interest rate to 8 75 percent 
 
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલા જનતાને ભેટ આપતા પીએફ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. કમર્ચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) હવે પોતાનાં 5 કરોડ ખાતાધારકોને 2013-14માં પીએફ પર 8.75 ટકા વ્યાજ આપશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/epfo-raise-2013-14-interest-rate-to-8-75-percent/

કેજરીવાલ હવે નહી ભરે જનતા દરબાર

now janta darbar will not be organised in delhi complaints will be filed online

નવી દિલ્હી : જનતાના મુખ્ય હિરોના રીતથી પોતાને સાબિત કરવાને માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જનતા દરબાર લગાવ્યો હતો. જેથી જનતાની ફરિયાદ સીધા રીતથી જ સાંભળવામાં આવી શકે. શનિવારે જનતા દરબારમાં બેકાબૂ ભીડના કારણથી જનતા દરબાર સ્થગિત કરવું પડ્યું. ખબર મળી છે કે કેજરીવાલ હવે જનતા દરબાર નહી લગાવે હવે ઓનલાઈન ફરિયાગ મંગાવશે. ફરિયાદને માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાશે. જો કે મુખ્યમંત્રી અઠવાડિયામાં એક દિવસ લોકોની સાથે મુલાકાત કરશે પરંતુ ફરિયાદ સાંભળવા માટે નહીં.

Read Full News: http://www.globalgujaratnews.com/article/now-janta-darbar-will-not-be-organised-in-delhi-complaints-will-be-filed-online/

Sunday, 12 January 2014

આપના નેતાઓ કવિતા ગાવાના છે, ભાગો ભાગો...

aap leaders going to poetry recitation run run

અમદાવાદ : અમેઠીમાં કુમાર વિશ્વાસે જાહેર સભા કરી અને જોરદાર ભાષણ આપ્યું. લોકોએ તે ભાષણ સાંભળ્યું પણ ખરું અને જોરદાર તાળીઓ પડી. સભામાં ભંગ પાડવા માટે પણ કોશિશ થઈ હતી. કોંગ્રેસના કેટલાક કાર્યકરો કાળા વાવટા લઈને પહોંચી ગયા હતા. કુમાર વિશ્વાસનો વિરોધ કર્યો હતો, પણ તેઓ ડગ્યા નહોતા. તેમણે કહ્યું કે પોતે અમેઠીમાં આવ્યા છે અને ડરીને જવાના નથી. તમે આ રીતે વિરોધ કરશો તો પણ પોતે ડરીને ભાગી જવાના નથી. કુમાર વિશ્વાસનો આત્મવિશ્વાસ જોરદાર હતો. તેમણે જાહેરસભામાં પોતાની કવિતા પણ સંભળાવી અને ભાગ્યા, સૌ ભાગ્યા..

Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-leaders-going-to-poetry-recitation-run-run/

Saturday, 11 January 2014

નવી પદ્ધતિથી ટિકીટ વહેંચણી કરશે કોંગ્રેસ

guildline for ticket distribution by rahul gandhi  
 
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવાર સત્વરે જાહેર કરશે. અને તેથી જ 10મી જાન્યુઆરીએ પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનીંગ કમિટી જાહેર કરી દીધી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/guildline-for-ticket-distribution-by-rahul-gandhi/

Friday, 10 January 2014

ફિલ્મ રિવ્યૂ: ડેઢ ઇશ્કિયાફિલ્મ રિવ્યૂ: ડેઢ ઇશ્કિયા

film review dedh ishqiya 
 અમદાવાદ : 
 ફિલ્મ – ડેઢ ઇશ્કિયા

કલાકાર – નસરુદ્દીન શાહ, અરશદ વારસી, માધુરી દિક્ષિત, હુમા કુરેશી, વિજય રાજ

ડિરેક્ટર  - અભિષેક ચૌબે

નિર્માતા – વિશાલ ભારદ્વાજ

રેટિંગ - 4/5


માધુરી દિક્ષિતે ફિલ્મ ડેઢ ઇશ્કિયા દ્વારા શાનદાર કમબેક કર્યુ છે. ફિલ્મ પ્રથમ ભાગ ઇશ્કિયા કરતા દોઢ ઘણી વધુ સારી છે એમ કહી શકાય.

2010માં જ્યારે ઇશ્કિયા રિલીઝ થઇ ત્યારે ફિલ્મનો કન્સેપ્ટ નવો હતો. 2 એવા શખ્શ હતા જે બેશરમ હતા. જેઓ કોઇ પણ યુવતીને જોઇને દિવાના થતા હતા. ફિલ્મમાં ક્રાઇમ અને અનોખી સ્ટોરી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/film-review-dedh-ishqiya/

કેજરીવાલનો સુરક્ષા લેવાનો ઈન્કાર

delhi cm denied for sepical security  
ગાઝીયાબાદ : 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઝેડ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરી દીધો છે. ઉત્તર પ્રદેશ સરકારે કેજરીવાલને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ કેજરીવાલે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે તેમને સુરક્ષાની જરૂર નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/delhi-cm-denied-for-sepical-security/

Thursday, 9 January 2014

મિશન 2014 : કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટી જાહેર

congress declared screening committee
નવી દિલ્હી :
કોંગ્રેસે વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનીંગ કમિટીની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ રેલી મંત્રી પવન બંસલને  ગુજરાત અને રાજસ્થાન માટે સ્ક્રિનીંગ કમિટીની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકનાં ગણાતાં  જિતેન્દ્ર સિંહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટીની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે તે નીચે મુજબ છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/congress-declared-screening-committee/

દર શનિવારે જનતાને મળશે કેજરીવાલ

cm kejriwal people meet every saturday 4 dijit helpline will start from tomorrow

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દર શનિવારે લોકોને મળવાનું નક્કી કર્યુ છે.આજે પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેઓ દર શનિવારે સવારે 9.30 થી 11.00 વાગ્યા દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળશે. અને ત્વરિત સમાધાનની કોશિષ કરશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/cm-kejriwal-people-meet-every-saturday-4-dijit-helpline-will-start-from-tomorrow/

ગુજરાતના ઊર્જામંત્રી સાથે ખાસ મુલાકાત

interview of gujarat energy minister 
 
અમદાવાદ : સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે સર્જાઇ રહ્યો છે. ખાસ કરીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે પ્રકારે આવકાર મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભ પટેલનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર રચાશે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. જીજીએન સાથેની એક ખાસ વાતચીતમાં કેબિનેટમંત્રીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમની સાથેની મુલાકાતના અંશો આ પ્રમાણે છેઃ

Read Full News: http://www.globalgujaratnews.com/article/interview-of-gujarat-energy-minister/

કોલસા બ્લોક ફાળવણીમાં કંઈક ખોટું થયું છે : એટર્ની જનરલ

coal block allocations something went wrong govt tells sc

નવી દિલ્હી : કોલસા બ્લોક ફાળવણીમાં કંઈકને કંઈ ખોટું થયું છે તથા આને હજુ વધારે સારી રીત કરવામાં આવી શકતું હતું. એટર્ની જનરલે ગુરૂવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ફાળવણીમાં કોઈક ભેદભાવ રહ્યો છે. કોલસા બ્લોક ફાળવણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે નિર્ણય સારા હેતુથી કર્યો હતો, પરંતુ કંઈક ખોટું સાબિત થઈ ગયું. તેઓએ માન્યું કે હરાજી પ્રક્રિયામાં કેટલીક ખામીઓ હતી. ફાળવણીમાં રાજ્યોની પણ સલાહ લેવી જોઈતી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/coal-block-allocations-something-went-wrong-govt-tells-sc/

Wednesday, 8 January 2014

ચૂંટણી 2014 : આમ આદમી પાર્ટીની અસર દેશભરમાં થશે – સર્વે

survey on election 2014

નવી દિલ્હી : તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટીની અસર દેશભરમાં જોવા મળી રહી છે. અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ  ઓફ ઈન્ડિયાએ પોલ કરાવ્યો હતો. જેના પરિણામમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દેશભરમાં જોવા મળી હતી.જોકે આ સર્વેમાં પીએમ પદના ઉમેદવાર તરીકેની પસંદગીમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીથી પાછળ છે. પરંતુ કેજરીવાલ રાહુલ ગાંધી આગળ છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/survey-on-election-2014/

દાઉદ ઇબ્રાહિમને ભારત લાવીશું: શિંદે

we can bring dawood ibrahim back to india home minister says sushil kumar shinde

નવી દિલ્હી : ભારત સરકાર અંડરવલ્ડૅ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા માટે સક્રિય થઇ છે. અને એફબીઆઇની મદદથી જોઇન્ટ ઓપરેશન દ્વારા દાઉદને ભારત લાવવાની તૈયારીઓ થઇ રહી છે.

ભારતનાં ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યુ કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવામાં સફળતા મળી શકે છે. તેમણે કહ્યુ કે અમને દાઉદની મુવમેન્ટની ખબર છે. અને જો બધુ યોગ્ય રહ્યુ તો દાઉદને ભારત લાવવામાં ઝડપથી સફળતા મળશે.


Read Full News: http://www.globalgujaratnews.com/article/we-can-bring-dawood-ibrahim-back-to-india-home-minister-says-sushil-kumar-shinde/

કેજરીવાલનો ભષ્ટ્રાચાર વિરોધી નંબર આપશે માત્ર સલાહ

arvind kejriwal announces anti corruption helpline number 
 
નવી દિલ્હી : 

દિલ્હીમાં કેજરીવાલ સરકારે એન્ટી-કરપ્શન હેલ્પ લાઈન નંબર જાહેર કરી દીધો છે. ભ્રષ્ટાચારને ડામવા માટે 011-27357169 એક હથિયાર સાબિત થશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નંબર જાહેર કર્યા બાદ કહ્યું કે વિજલેંસ ડિપાર્ટમેન્ટ બહુત ખરાબ હાલતમાં છે. લોકો ન હતાં એટલે આટલો સમય લાગ્યો. હવે દિલ્હીનો દરેક વ્યક્તિ એન્ટી કરપ્શન ઓફિસર છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-announces-anti-corruption-helpline-number/

લોકસભા 2014ના ચર્ચિત રાજકીય ચહેરા

2014 lok sabha elections most talked about political face 
 
અમદાવાદ : લોકસભાની ચૂંટણી 2014માં યોજાનારી છે, પણ તેની ચર્ચા 2013થી થવા લાગી હતી. કેટલાક નામો ત્યારથી જ ચર્ચાવા લાગ્યા હતા. દાવેદારીની નવી ફેશન પણ શરૂ થઈ. ભાજપમાં ધમાસાણ મચ્યું, કેમ કે નરેન્દ્ર મોદી જૂથનો આગ્રહ હતો કે નરેન્દ્ર મોદીનું નામ સત્તાવાર રીતે પક્ષના પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરવું. અડવાણી જૂથ માટે તે આખરી ફટકા જેવું હતું એટલે અડવાણીએ નારાજી દર્શાવી હતી. ગોવામાં તે શક્ય ના બન્યું, પણ બે મહિના પછી દિલ્હીમાં કારોબારીની બેઠક બોલાવીને અડવાણીની અવગણના કરીને નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી દેવાયું.  તે સાથે જ લોકસભા 2014ના ચર્ચિત રાજકીય ચહેરામાં એક નામ નિશ્ચિત થઈ ગયું હતું,

Read Full News: http://www.globalgujaratnews.com/article/2014-lok-sabha-elections-most-talked-about-political-face/

કારોબારીમાં ભાજપનો એજન્ડા

bjp executive meet on 18 january

અમદાવાદ : ભાજપની રાષ્ટ્રીય કારોબારી દિલ્હીમાં મળી રહી છે અને ગુજરાતમાંથી સાતથી આઠ કારોબારી સભ્યો તેમાં ભાગ લેશે ત્યારે આ કારોબારીમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓનો એજન્ડા નક્કી કરવામાં આવશે. ખાસ કરીને કોંગ્રેસમાં બદલાતી જતી રણનીતિને ધ્યાનમાં રાખી મોદીને જીતાડવા માટે નવી વ્યૂહરચના અપનાવવી પડે તેમ છે. બીજી તરફ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવા નવા પક્ષોને ભાજપમાં જોડવાની રણનીતિ પણ અપનાવવામાં આવશે. જેના ભાગરૂપે ભાજપના બળવાખોર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-executive-meet-on-18-january/

Tuesday, 7 January 2014

વિધાનસભાનું સત્ર ક્યારે?

govt will introduce vote on account

અમદાવાદ : લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે, જો કે ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થયો નથી. ફેબ્રુઆરીમાં ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવશે અને તે પહેલા ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર મતદારો માટે નવી નવી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી શકે છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની સત્ર ક્યારે મળશે તે અંગેની પણ અટકળો શરૂ થઇ ગઇ છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/govt-will-introduce-vote-on-account/

Monday, 6 January 2014

કોમોડિટી કારોબારની સાપ્તાહિક સમિક્ષા

weekly commodity review 06 1 2014 by kalpesh sheth

મુંબઇ :
આખી  દુનિયામાં ભારતની લોકશાહીને ઉત્તમ માનવામાં આવે છે. સમાજનાં નીચલા વર્ગનો માનવી જો દેશનો નાગરિક હોય તો તેને પોતાનાં નેતા ચૂંટવાનો અને આ નેતાનાં માધ્યમથી વડાપ્રધાન ચૂંટવાનો  સીધો અધિકાર છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/weekly-commodity-review-06-1-2014-by-kalpesh-sheth/

ને હવે વાયબ્રન્ટ એજ્યુકેશન સમિટ.


gujarat will host vibrant education summit  
અમદાવાદ : ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજાય છે. જાન્યુઆરી 2013માં વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવતું હોય તેમ આ વર્ષે એજ્યુકેશન વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2015માં ફરી એકવાર ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ યોજાશે. જો કે, તેનું ઉદ્ધાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે એ તો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ કહી શકાશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-will-host-vibrant-education-summit/

Sunday, 5 January 2014

દિલ્હીની જનતાએ બદલાવ માટે આપ્યો છે મત : ઉપરાજ્યપાલ

no licence without audit jung tells power companies
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભામાં આજે ઉપરાજ્યપાલ નજીબ જંગના અભિભાષણ દરમ્યાન દિલ્હી સરકારની નીતિઓની રજૂઆત કરી. ઉપરાજ્યપાલે અભિભાષણ દરમ્યાન તેમણે સરકારના વાયદાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દિલ્હીની સામાન્ય નાગરિકમાં બદલાવને માટે મત આપ્યો છે. ઉપરાજ્યપાલે કહ્યું કે જનલોકપાલ બિલ પસાર કરાવવુ દિલ્હી સરકારની પહેલી પ્રાથમિકતા હશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/no-licence-without-audit-jung-tells-power-companies/

જસ્ટીસ ગાંગુલી કેસમાં આજે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

justice ganguly case in supreme court hearing today

નવી દિલ્હી : 
 કાયદાની ઈન્ટર્નના કથિત રીતે જાતિય સતામણીના આરોપમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એ કે ગાંગુલીને પશ્ચિમ બંગાળ માનવાધિકાર પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવાનો કોઈ પણ પ્રયત્ન કરવાથી કેન્દ્ર સરકારના રોકવાથી લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠના સમક્ષ આ અરજીના બે દિવસ પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારબાદ ન્યાયાલયે આ અરજી પર 6 જાન્યુઆરીએ સુનાવણીની તારીખ નક્કી કરી. આ અરજી દિલ્હીમા રહેતા પદ્મ નારાયણ સિંહે દાખલ કરી છે, જેઓ ડોક્ટર છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/justice-ganguly-case-in-supreme-court-hearing-today/

મનમોહન સિંહે વિદાય લઈ લીધીઃ ઈતિહાસકારો શું કહેશે?

manmohan singh withdraws what will the historians say
અમદાવાદ : 

મનમોહન સિંહે સમયસર વિદાય લઈ લીધી એમ કહેવું યોગ્ય ગણાશે. ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન તરીકે 10 વર્ષ કામ કરવું એ મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિના કેટલા દેશની કેટલી રિદ્ધિ થઈ તે ઈતિહાસ કહેશે. વડા પ્રધાને પણ એ જ વાત વારેવારે કહી. તેમણે કહ્યું કે સમય અને સંજોગો અનુસાર તેમણે બેસ્ટ કરવાની કોશિશ કરી છે, પરંતુ તેના લેખાંજોખાં આવનારા સમયમાં ઈતિહાસકારો કહેશે. મનમોહન ધ પ્રાઈમ મિનિસ્ટર અને મનમોહન, ધ ઈકોનોમિસ્ટ એવી તેમને મુખ્ય ઓળખના લેખાંજોખાં લેવાશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/manmohan-singh-withdraws-what-will-the-historians-say/

આઇએનએસ વિક્રમાદિત્યનો ભારતીય જળસીમામાં પ્રવેશ

india s biggest aircraft carrier ins vikramaditya finally arrives

નવી દિલ્હી :
વિમાનવાહક યુધ્ધજહાજ આઇએનએસ વિક્રમાદિત્ય લાંબા સફર બાદ શનિવારે ભારતનાં પશ્ચિમી તટ    ( અરબ સાગર ) પહોચ્યુ. આઇએનએસ વિક્રમાદિત્ય ભારતે રશિયા પાસેથી 2.3 અબજ ડૉલરમાં ખરિદ્યુ છે. નૌકદળની પશ્ચિમી કમાનનાં યુધ્ધજહાજોની આગેવાનીમાં વિક્રમાદિત્ય આવતા સપ્તાહ સુધી નૌકાદળનાં કંવર બેઝ સુધી પહોંચી જશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/india-s-biggest-aircraft-carrier-ins-vikramaditya-finally-arrives/

Thursday, 2 January 2014

મૌન વડાપ્રધાન થશે મીડિયા સામે રૂબરૂ

manmohan in front of media

નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહનસિંહ આજે શુક્રવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચાડવાનું  છે. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર, મોંઘવારી અને આર્થિક સ્થિતિ પર ચર્ચા કરશે.વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ મીડિયા સામે રૂબરૂ થાય તે પહેલા ભાજપે તેમને પાંચ સવાલ પૂછ્યાં છે.રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીના સવાલ પૂછ્યાં છે.

Read Full News:http://www.globalgujaratnews.com/article/manmohan-in-front-of-media/

આપ સરકારે પૂર્ણ બહુમતથી વિશ્વાસમત મેળવ્યો

aap got vote of confidence successfully

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહને સંબોધન આપ્યું અને મંત્રી મનિષ સિસોદીયા દ્રારા વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  જે બહુમતીથી પાસ થઈ ગયો છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ગૃહમાં મુદ્દોઓ રજૂ કર્યા હતા. અને તે મુદ્દાના આધારે સમર્થન આપવાનું જણાવ્યું હતું. અરવિંદ કેજીરવાલે ગૃહમાં શું કહ્યું તે વાંચો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-got-vote-of-confidence-successfully/

Wednesday, 1 January 2014

ટીઆરપીમાં કોણ આગળઃ મોદી કે કેજરીવાલ ?

race between modi and kejriwal for trp
અમદાવાદ :
હજુ થોડાક સમય પહેલા જ પ્રત્યેક ટીવી ચેનલોમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચર્ચા હતી. મોદી અંગે પેનલ ચર્ચાઓમાં દલીલો ખૂટતી નહોતી. ટીવી ચેનલો જાણતા હતા કે ટીઆરપી રેટમાં રહેવું હોય તો મોદી અંગે જેટલા સમાચાર આપી શકાય તે આપો. પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મોદીનું સ્થાન ટીઆરપીમાં અરવિંદ કેજરીવાલે લઇ લીધું હોવાનું બહાર આવ્યું છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/race-between-modi-and-kejriwal-for-trp/

ભારતે 3600 કરોડની હેલિકૉપ્ટર ડીલ રદ્ કરી

india cancels augusta westland vvip chopper deal

નવી દિલ્હી : ભારતે બુધવારે 3600 કરોડ રૂપિયાનો અગસ્તા વેસ્ટલેન્ડ સાથે થયેલી હેલિકૉપ્ટર ડીલ રદ્ કરી દીધી છે. લાંચનાં આરોપોને કારણે આ કરાર રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/india-cancels-augusta-westland-vvip-chopper-deal/