આમ તો નક્કી જ હતું, પણ સત્તાવાર રીતે અરવિંદ કેજરીવાલ ચેલેન્જ સ્વીકારે છે
કે કેમ તે જોવાનું હતું. આખરે તેમણે પડકાર ઊપાડી લીધો છે. તેઓ જાણે છે કે
બેઠક જીતવાની નથી, પણ લડવાનું છે. તેમના માટે લડત મહત્ત્વની છે.વારાણસી નરેન્દ્ર મોદી સલામત બેઠક હતી એટલે પસંદ નથી થઈ. તેની પસંદગી
હિન્દુત્વનો મેસેજ આપવા માટે થઈ છે. ઉત્તર પ્રદેશમાં વિકાસનું ગાણું ચાલે
તેમ નથી. હિન્દુત્વના મુદ્દે જ ભાજપને ઉત્તર પ્રદેશમાં 52, 55 અને 57 બેઠકો
મળી હતી. તે પછી ભાજપે રામમંદિરનો મુદ્દો પડતો મૂક્યો એટલે ભાજપની પડતી
થઈ. સીધા જ 29 પર આવી ગયા અને અત્યારે માત્ર 10 જ બેઠકો છે. તે સંખ્યા
વધારીને ફરીથી 40 સુધી કરવાની છે. યુપીમાં 40થી વધારે બેઠક ના મળે તો
દિલ્હીમાં સત્તા મળે તેવી કોઈ શક્યતા નથી. તેથી જ સૌથી વધારે મહેનત યુપી
અને સાથોસાથ બિહારમાં થઈ રહી છે.
http://www.globalgujaratnews.com/article/ggn-diary-26-03-14-/
No comments:
Post a Comment