
આજથી ચૈત્ર સુધ એકમના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની નવરાત્રીની જેમ જ આ નવરાત્રીનો અનોખો મહિમા છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ શ્રદ્ધાળુઓ ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરે છે. વળી આ જ દિવસે મહારાષ્ટ્રીયન પરિવારોના નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. તેઓ ગુડીપડવોની ઉજવણી કરે છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીનો આજનો પહેલા દિવસે ગુજરાત સહિત દેશભરમાં મંદિરોમાં ભક્તોનું ટોળું જોવા મળી રહ્યું છે. દરેક મંદિરોમાં માતાજીનો જય જયકારના અને મંત્રોચ્ચારથી ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠે છે.
http://www.globalgujaratnews.com/article/devotees-in-the-temple-on-the-first-day-of-navratri/


















.jpg)















