Sunday, 27 April 2014

રામદેવ પર લખનૌમાં પ્રતિંબધ















 યોગગુરુ બાબા રામદેવ પર ચૂંટણી પંચે પ્રતિબંધ મુક્યો છે. રાહુલ ગાંધી વિરુધ્ધ બોલતા દલિતો બાબતે અભદ્રનાં ભાષાનો ઉપયોગ કરવાને કારણે ચૂંટણી પંચે 16 મે સુધી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં  કોઇ પણ કાર્યક્રમ કે પ્રેસ કૉન્ફરન્સ નહી કરી શકે.



http://www.globalgujaratnews.com/article/ramdev-faces-arrest/

Friday, 25 April 2014

વારાણસીમાં મોદી સામે 77 ઉમેદવારો મેદાનમાં











ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર દાખલ કર્યુ. જો મોદી વડાપ્રધાન બનવામાં સફળ થશે, તો તેઓ પ્રથમ વડાપ્રધાન હશે, જેમણે ચૂંટણી જંગમાં 77 ઉમેદવારોનો સામનો કર્યો હોય. મોદી વિરુધ્ધ 77 ઉમેદવારો વારાણસીનાં ચૂંટણી જંગમાં છે.

http://www.globalgujaratnews.com/article/in-varanasi-modi-faces-record-77-rivals/

Thursday, 24 April 2014

મેગા રોડ-શૉ બાદ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ










ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર વારાણસી બેઠક પરથી આજે ઉમેદવારી પત્ર ભર્યુ. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ મેગા રોડ શૉ કર્યુ. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. 2 કલાક સુધી રોડ શૉ યોજાયો હતો. કલેક્ટર કચેરી ખાતે મોદીનાં પ્રસ્તાવકોમાં સુપ્રસિધ્ધ ગાયક છન્નૂલાલ, ગિરધર માલવીય, એક નાવીક અને એક વણકર હાજર હતા.



http://www.globalgujaratnews.com/article/narendra-modi-file-nomination-from-varanasi-after-road-show/

Saturday, 19 April 2014

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

ending corruption will be my top priority as pm narendra modi

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.

http://www.globalgujaratnews.com/article/ending-corruption-will-be-my-top-priority-as-pm-narendra-modi/

મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

ajay rais involvement in arms trade amit shah bjp pm candidate varanasi april 24 to file nomination

વારાણસીથી કોંગ્રેસ ઉમેદવા અજય રાયના રાઈફલ મુદ્દા પર શાહે કહ્યું કે રાય એકે – 47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. શાહે કહ્યું કે રાજકીય ચોકસાઈથી વાત કરનારી કોંગ્રેસે શું વારાણસીથી કોઈ એક પણ સારો ઉમેદવાર ના મળ્યો કે તેમણે અજય રાયને મેદાનમાં લાવવા પડ્યા. શાહે માંગ કરી છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

http://www.globalgujaratnews.com/article/ajay-rais-involvement-in-arms-trade-amit-shah-bjp-pm-candidate-varanasi-april-24-to-file-nomination/

Wednesday, 16 April 2014

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

narendra modis urdu website launched


અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..


http://www.globalgujaratnews.com/article/narendra-modis-urdu-website-launched/

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

narendra modi says if met muslims will love me

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં વારાણસીને ઉલ્લેખીને કહ્યું કે હું વારાણસી લડવા માટે નહીં પરંતુ લોકોના દિલ જીતવા માટે જઈ રહ્યો છું. મુસ્લિમ અમને પ્રેમ કરવા લાગશે.


http://www.globalgujaratnews.com/article/narendra-modi-says-if-met-muslims-will-love-me/

Tuesday, 15 April 2014

મોદીનો રાહુલ પર વળતો પ્રહાર

dont go on his age he talks about toffees like children modi


ગુજરાત મોડલ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં વાકયુદ્ધ ચાલુ થઈ ગયું છે. ગુજરાતના વિકાસને ટોફી મોડલ જણાવવા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષને આડે હાથે લેતા નરેન્દ્ર મોદીને કહ્યું કે રાહુલની પાસે મગજ નથી અને બાળકની જેમ વિચારે છે.


http://www.globalgujaratnews.com/article/dont-go-on-his-age-he-talks-about-toffees-like-children-modi/

રાજનાથ સિંહની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત

rajnath singh meets muslims clerics


ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરતા વિપક્ષોને પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે જ્યારે બીજા પક્ષનાં નેતા આવુ કરે છે, તો ભાજપ સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે. જ્યારે ભાજપે સફાઇ આપી કે પરિવર્તન માટે તમામ પાસે સમર્થન માંગવામાં આવી રહ્યુ છે.

http://www.globalgujaratnews.com/article/rajnath-singh-meets-muslims-clerics/

Saturday, 5 April 2014

NDA ને 259 બેઠકો મળવાનું અનુમાન: સર્વે










એનડીટીવી અને હંસા રિસર્ચ ગ્રુપનાં નવા સર્વે મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને દેશની કુલ 543 બેઠકોમાંથી 259 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ યૂપીએને 123 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે 161 બેઠકો અન્યનાં ફાળે જતી દેખાઇ રહી છે.


http://www.globalgujaratnews.com/article/lok-sabha-polls-2014-nda-to-get-259-and-upa-123-seats-says-survey/

ટૂંક સમયમાં Gmailમાં નવા ફીચર્સ ઉમેરાશે












ગૂગલની ઇમેલ સર્વિસ જીમેલને લોન્ચ થયાને હજુ એક દાયકો થયો છે ત્યાં તે દુનિયાનું સર્વ શ્રેષ્ઠ ઈમેલ સેવા પૂરી પાડતી વિના મૂલ્યની અમૂલ્યા સેવા છે સાબિત થઈ ગઈ છે. પોતાના ગ્રાહકોની સેવામાં હંમશા તત્પર રહેલી ગૂગલ સમયાંતરે તેની ઈમેલ સર્વિસ જીમેલમાં થોડો ફેરફાર કરતી રહી છે. હવે જીમેલમાં અનેક નવા ફીચર્સ ઉમેરાવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ જીમેલના 10 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. Geek.com પર આપવામાં આવેલા સ્ક્રીનશોટ્સ પ્રમાણે ગૂગલમાં નવા મેલ ફીચરનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ ફીચર મોબાઈલ યૂઝર એક્સપીરિયંસને વધુ સુંદર બનાવશે.


http://www.globalgujaratnews.com/article/gmails-new-features-leaked-in-screenshots/

Friday, 4 April 2014

ભાજપે યુપીએ સરકાર સામે ચાર્જશીટ રજૂ કરી













ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને યુપીએ સરકાર સામે ચાર્જશીટ રજૂ કરી છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીના અધિકારોનું હનન કર્યું છે. મોંઘવારી વધી, ભારતીય અર્થવ્યવસ્થાને તોડી પાડી છે.




કુલ નવ ભાગોમાં આ ચાર્જશીટ રજુ કરતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ વડાપ્રધાનના અધિકારોનું હનન કર્યું છે. તેઓએ વડાપ્રધાનના કાર્યાલયનું પણ માન નથી રાખ્યું. તેમજ યુપીએના શાસન દરમિયાન મોંઘવારી વધી છે. અને ભારતીય અર્થવ્યવસ્થાની ડામાડોળ પરિસ્થિતિ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી હતી. સાથે દેશમાં બેરોજગારી માટે પણ યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. 
http://www.globalgujaratnews.com/article/bjp-released-chargesheet-against-congress/

અરવિંદ કેજરીવાલ પર હુમલો, એક શખ્સે ગળા પર માર્યો મૂક્કો











આમ આદમી પાર્ટીના સંયોજક અને વારાણસી બેઠક પરથી મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં તે દરમ્યાન કોઈ શખ્સે તેમની પર હુમલો કરી દેતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું

www.globalgujaratnews.com/article/attack-on-kejriwal-during-road-show/

Thursday, 3 April 2014

વોટ્સએપે મેસેજિંગમાં નવો રેકોર્ડ સ્થાપ્યો












જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ વોટ્સએપની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાઈ ગયું છે. યુવાનો, રાજકારાણીઓ, સેલિબ્રિટિઝથી માંડીને અબાલ-વૃદ્ધ સૌમાં લોકપ્રિય વોટ્સ એપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે. વોટ્સએપ દ્વારા મેસેજિંગમાં એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એક દિવસમાં લગભગ 64 અબજ મેસેજની વોટ્સએપ પર આપ-લે થઈ હતી.
વોટ્સએપ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે તેના વપરાશકારાએ એક જ દિવસમાં 20 અબજ ઈનબાઉન્ડ તથા 44 અબજ આઉટબાઉન્ડ મેસેજ કર્યા હતા. માત્ર 24 કલાકની અંદર જ આટલા નંબર હેન્ડલ કરવા તેની સૌથી મોટી સિદ્ધિ છે.


મેસેજ ગ્રુપમાં કરવામાં આવ્યા હોવાથી આવેલા અને કરવામાં આવેલા મેસેજના નંબરમાં આટલું અંતર છે. કારણકે ગ્રુપમાં મોકલવામાં આવેલા મેસેજને એક જ મેસેજ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે થોડા દિવસો પહેલાં જ વોટ્સએપને 19 અબજ ડોલરમાં ખરીદી છે.
http://www.globalgujaratnews.com/article/whatsapp-touches-record-daily-high-64-bn-messages-in-1-day/

મધૂસૂદન મિસ્ત્રીની વડોદરા પોલીસે અટકાયત કરી











વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર મધૂસૂદન મિસ્ત્રી અને કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી છે. મધૂસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીનાં પોસ્ટર ઉતારી રહ્યા હતા, જેથી પોલીસે આ કાર્યવાહી કરી.

જો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. જેમાં મહિલા કાર્યકર્તાઓને પણ ઇજા પહોંચી છે.

http://www.globalgujaratnews.com/article/madhusudan-mistry-arrested--in-vadodara/

Wednesday, 2 April 2014

અભણ રાખી સાવંત પાસે 15 કરોડ રૂપિયાની સંપતિ











હિન્દી સિનેમાની બિન્દાસ અભિનેત્રી રાખી સાવંત મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી  ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેને પોતાને અભણ  અને સંપતિ 14.69 કરોડ દર્શાવી છે. ઉલ્લેખનીય છેકે  રાખી સાવંતે મંગળવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું.

http://www.globalgujaratnews.com/article/rakhi-sawant-mumbai-north-west-lok-sabha-illiterate-assets-rs-15-crore/

વરૂણ જે કહી રહ્યાં છે, તે સાચું કહી રહ્યાં છે : રાહુલ ગાંધી














કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા અમેઠી ખાતે કરેલી કામગીરી સંદર્ભે વરૂણ ગાંધીએ વખાણ કર્યા હતા. જેને લઈને આજે રાહુલ ગાંધી રાયબરેલી ખાતે ખુશી વ્યક્ત કરી હતી. રાયબરેલીમાં આજે સોનિયા ગાંધીએ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. જેમની સાથે રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મીડીયા સમક્ષ હાજર થયા હતા.

 http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-reaction-on-varun-gandhi-statement/

Tuesday, 1 April 2014

ગુજરાતી મૂળના રાજીવ શાહ બની શકે નવા અમેરિકી રાજદૂત










ભારતમાં અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે નિવૃતિ લીધા બાદ હવે આ પદ પર ગુજરાતી મૂળના ભારતીય-અમેરિકી રાજીવ શાહનું નામ ચર્ચાઈ રહ્યું છે.

41 વર્ષીય ડૉ.રાજીવ શાહ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કેબિનેટમાં ઉચ્ચસ્તર ધરાવનારા ભારતીય છે. તેમનો જન્મ અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારને ત્યાં મિશિગનમાં થયો છે. રાજીવ શાહે  પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતકની ડિગ્રી મેળવી છે. વાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી તેમણે આરોગ્ય અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે
.http://www.globalgujaratnews.com/article/gujarati-who-may-replace-nancy-powell-as-us-ambassador-to-india/

મોદીએ સપા-બસપા-કોંગ્રેસને નિશાને લેતા કહ્યું: આપો સબકો વિદાય















કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ બરેલી ખાતેથી આજે  ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી.

મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે દિલ્હીમાં મારું હેલિકોપ્ટર રોકવામાં આવ્યું અને ત્યાર બાદ કોંગ્રેસને નિશાને લેતા કહ્યું કે ચૂંટણી ટાંણે જ કોગ્રેસને ગરીબોની યાદ આવે છે. સિંહ મુદ્દે અખિલેશ સરકારને નિશાને લીધી હતી. આ ઉપરાંત બરેલી અને ગુજરાતના સંબંધને પતંગ અને દોર સાથે સાંકળીને લોકોને એકતારે બાંધવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત સપા,બસપા અને કોંગ્રેસને નિશાને લેતા લોકોએ અપીલ કરી હતી કે આ સબકો વિદાય આપી દો...વિકાસના મુદ્દે સોનિયા ગાંધીને  નિશાને લેતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અહીંના લોકોના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો નથી તેમજ વધુમાં તેમણે કહ્યું કે માત્ર કાગળની કાર્યવાહીથી દેશમાં વિકાસ થશે નહીં. દિલ્હીમાં બેઠેલો લોકોએ દેશને બરબાદ કરી નાખ્યો છે.






http://www.globalgujaratnews.com/article/narendra-modi-rally-in-bareilly/